HomeInternationalપાકિસ્તાનમાં ભયાનક રિમોટ-કંટ્રોલ્ડ ડબલ બ્લાસ્ટ, ઘાયલોને લઈ જતાં થયો બીજો ધડાકો, 7...

પાકિસ્તાનમાં ભયાનક રિમોટ-કંટ્રોલ્ડ ડબલ બ્લાસ્ટ, ઘાયલોને લઈ જતાં થયો બીજો ધડાકો, 7 ના મોત

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નૂ જિલ્લામાં શનિવારે થયેલા બે સિલસિલાબંધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. આતંકીઓએ પહેલા મુસાફરોથી ભરેલા વાહનને નિશાન બનાવ્યું અને ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે વધુ એક વિસ્ફોટ કર્યો. આ બંને હુમલાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના પ્રાથમિક તારણો અનુસાર બંને હુમલાઓ રિમોટ કન્ટ્રોલ બોમ્બ દ્વારા કરવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મુસાફર વાહન પર પ્રથમ હુમલો
માહિતી મુજબ, બન્નૂ જિલ્લાના ફાંગ મૂસા ખેલ વિસ્તારમાં એક ખાનગી ડેટસન વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં રિમોટ કન્ટ્રોલથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વાહનના ચીથરાં ઉડી ગયા હતા. આ હુમલામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને રાહત ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઘાયલોને લઈ જતી વખતે થયો બીજો બ્લાસ્ટ
પ્રથમ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ઘટનાસ્થળથી આશરે એક કિલોમીટર દૂર વધુ એક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પણ એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બીજા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સતત બે હુમલાઓના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હુમલાખોરોએ બચાવ કામગીરીને પણ નિશાન બનાવવાની પૂર્વયોજના બનાવી હતી.

સુરક્ષા દળો અને રેસ્ક્યૂ ટીમો એક્શનમાં
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ 1122ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહોને અને ઘાયલોને ડોમેલ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર તેમજ ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીઓને આશંકા હતી કે વિસ્તારમાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ મૂકવામાં આવી હોઈ શકે છે. હાલ સુરક્ષા એજન્સીઓ હુમલા પાછળ જવાબદાર આતંકી તત્વોની ઓળખ અને તેમની ધરપકડ માટે પ્રયાસ કરી રહી છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની કડક નિંદા કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના પણ કરી હતી.

વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાના કૃત્યને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવ્યું હતું.

બન્નૂમાં સતત વધી રહ્યા છે આતંકી હુમલા
ઉલ્લેખનીય છે કે બન્નૂ જિલ્લો છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં પોલીસ, સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે આતંકીઓએ એક પુલને વિસ્ફોટથી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે જૂન મહિનામાં બે પોલીસકર્મીઓ અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણોમાં પણ અનેક લોકોના મોત થયા છે.

વધતા આતંકવાદને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. તાજેતરમાં યોજાયેલી એક જીરગામાં પણ સરકારે વિસ્તારમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી હતી.

Subscribe

Latest stories