બેંગ્લુરુમાં એક યંગ કપલે કરેલી આત્મહત્યા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. 32 વર્ષના રેડ્ડીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો અને ત્યારબાદ 31 વર્ષની તેની પત્ની શાજિયા સિરાજે 18 માળની બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી.
મળતી માહિતી પ્રમાણે શાજિયા સવારે 7:30 વાગે નાઈટ શિફ્ટ કરી ઘરે પરત ફરી હતી. ઘરે પહોંચતા જ તેને ભારે આશ્ચર્ય થયું કારણ કે તેનો પતિ રૂૂમમાંથી કોઈ જવાબ આપતો ન હતો. ગભરાઈને તેણે સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો. બેડરૂૂમ અંદરથી બંધ હતો અને જ્યારે દરવાજો તોડવામાં આવ્યો તો તેને ભારે આઘાત લાગ્યો. કારણ કે રેડ્ડીનો મૃતદેહ પડ્યો હતો અને તેની પાસે એક આત્મહત્યા પૂર્વે લખેલી એક નોટ પણ હતી.
ખૌફનાક ઘટના બાદ શાજિયા આશરે 20 મિનિટ સુધી ત્યા જ રહી હતી અને ત્યારબાદ શાજિયા ચૂપચાપ લિફ્ટથી ફ્લેટના 18માં માળે પહોંચી. ત્યા જઈને તેણે ઈમારત પરથી છલાંગ લગાવી જીવનનો અંત કરી લીધો. એક મૃત્યુ પછી બીજા સાથીના મૃત્યુની આ સારસ બેલડી જેવી ઘટનાએ આખા બેંગ્લોરમાં સનસનાટી મચાવી દીધી છે.
પોલીસની માહિતી પ્રમાણે રેડ્ડીએ સુસાઈડ નોટમાં તેની નોકરી છૂટી ગયાની અને તે ખૂબ જ તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તે અમેરિકામાં આશરે 80 લાખના વાર્ષિક પેકેજ સાથે નોકરી ધરાવતા રેડ્ડીનું જીવન ઓંચિત જ બદલાઈ ગયું.
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લીધે તેણે નોકરી ગુમાવ્યા બાદ માનસિક રીતે તે તૂટી ગયો હતો. તેને નવી નોકરી નહીં મળતા તે ખૂબ જ ચિંતાતૂર હતો. અલબત પરિવાર અને પત્ની તેને પૂરો સાથ આપતા હતા, પણ તે અંદરથી તૂટી ગયો હતો.
આશરે અઢી વર્ષ અગાઉ લગ્ન કરનાર આ દંપતી તેમના લગ્નને છૂપાવીને રાખ્યા હતા. લગ્ન અંગે રેડ્ડી પરિવાર વાકેફ હતો પણ શાજિયાના પરિવારને આ અંગે જાણ ન હતી. તેને લીધે તેમણે પહેલા હૈદરાબાદમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ આશરે 8 મહિના અગાઉ તેઓ બેંગ્લુરુમાં શિફ્ટ થઈ ગયા હતા. જ્યાં શાજિયા ઈંઇખ માં કામ કરતી હતી.