Wednesday, Apr 8, 2026

ગુડ ફ્રાઇડે ક્યારે છે? કેમ મનાવવામાં આવે છે આ દિવસ, જાણો આ પાછળનું કારણ

2 Min Read

ગુડ ફ્રાઈડે ને ત્યાગ, ક્ષમા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેને ‘પવિત્ર શુક્રવાર’ અને ‘ગ્રેટ ફ્રાઇડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેને બ્લેક ફ્રાઇડે પણ કહે છે. એવી માન્યતા છે કે આ તે દિવસ છે જ્યારે પ્રભુ ઈસુ (જીસસ ક્રાઇસ્ટ) એ માનવતા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. મૌન રહે છે અને ધ્યાન કરે છે.

પ્રભુ ઈસુએ લોકોને પ્રેમ, ક્ષમા અને બલિદાન દ્વારા લોકોને મુક્તિનો માર્ગ બતાવવાનું કામ કર્યું હતું. આ દિવસ દુખદ હોવાની સાથે સાથે ઉદ્ધારઅને આશાનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ગુડ ફ્રાઇડે પછી આવતા રવિવારને ઇસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુડ ફ્રાઈડે ક્યારે છે, આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ કહાનીઓ.

ગુડ ફ્રાઇડે ઇસ્ટર રવિવારના પહેલા આવતા શુક્રવારે ઉજવવામાં આવે છે. 2026 માં તે 3 એપ્રિલે આવે છે. આ દિવસે દુનિયાભરના ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય છે.

ગુડ ફ્રાઇડે કેમ ઉજવવામાં આવે છે?
એવું કહેવામાં આવે છે કે યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા પછી ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઇડે તે દિવસને સમર્પિત છે. એવી માન્યતા છે જે દિવસે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા તે શુક્રવાર હતો. તેથી જ આ શુક્રવારને ‘ગુડ ફ્રાઇડે’ કહેવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર પ્રભુ ઈસુ મસીહનો જન્મ બેથલેહેમમાં થયો હતો. તેમણે સમાજના દૂષણોને દૂર કરવા માટે લોકોને ધર્મના માર્ગે ચાલવા પ્રેરિત કરવાનું કામ કર્યું હતું. આ વાત ખરાબ લોકોને પસંદ પડી ન હતી. પછી તેઓએ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું.

આ આરોપોને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યો હતો. ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તને લગભગ 6 કલાક સુધી ખીલા મારવામાં આવ્યા હતા અને પછી લટકાવવામાં આવ્યા હત. ખ્રિસ્તી માન્યતા અનુસાર ઈસુનું આ બલિદાન જ માનવતાને નવું જીવન આપે છે.

Share This Article