આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 26મો દિવસ છે. કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી થયેલા હુમલામાં ઇંધણ ટાંકીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી હતી.
જોકે, કુવૈતના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે અહેવાલ આપ્યો છે કે કોઈ જાનહાનિ થઈ નથી. દક્ષિણ તેહરાનમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 28 ઘાયલ થયા. બીબીસીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સૈન્યએ દક્ષિણ લેબનોનના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ધમકી આપી છે.
મંગળવારે ઈરાન પર થયેલા હવાઈ હુમલાથી રાજધાની તેહરાનમાં ભારે વિનાશ થયો. ત્યારબાદ ઈરાની મિસાઈલો અને ડ્રોનથી ઈઝરાયલના તેલ અવીવ અને પશ્ચિમ એશિયાના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા. જો કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.