ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે ભારતીય ચાહકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં નિધન થયું છે. રિંકુ સિંહ લાંબા સમયથી ગંભીર બીમારી (લિવર કેન્સર) સામે ઝઝૂમી રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા.
રિંકુ સિંહ મંગળવારે ગ્રેટર નોઈડામાં તેમના પિતાને મળવા માટે ભારતની T20 વર્લ્ડ કપ ટીમ છોડીને ગયા હતા. તેઓ ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં હાજર રહ્યા ન હતા.
ત્યારબાદ એવા અહેવાલો સામે આવ્યા કે તેમના પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓ ઘરે પરત ફર્યા છે. મેચના એક દિવસ પહેલા તેઓ ભારતીય ટીમમાં ફરી જોડાયા હોવા છતાં, તેઓ ઝિમ્બાબ્વે સામેની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા.
રિંકુ ઝિમ્બાબ્વે સામે રમ્યો ન હતો
ઝિમ્બાબ્વે સામે કરો યા મરો મેચમાં સંજુ સેમસન રિંકુ સિંહની જગ્યાએ આવ્યા હતા. ભારતે 72 રનથી જીત મેળવી હતી. સુપર 8 માં ભારતનો છેલ્લો મુકાબલો 1 માર્ચે છે. તેથી, રિંકુ આ મુશ્કેલ સમયમાં તેના પરિવાર પાસે જઈ શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો મેચ કોલકાતામાં યોજાવાનો છે. વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. રિંકુ આ મેચ માટે ઉપલબ્ધ ન હોઈ શકે. હાલમાં, ભારતીય ટીમ તરફથી રિંકુ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.