યૌન શોષણ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધાયા બાદ શંકારાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી શકે છે. 2022માં શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદના વારાણસી મઠમાં બે મહિના રહી ચૂકેલી લેખિકા ભૂમિકા દ્વિવેદીએ ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે મઠની અંદર લક્ઝરી માહોલ, સ્વિમિંગ પુલ અને ગુપ્ત તથા રહસ્યમય રૂમ હોવાનો દાવો કર્યો છે. તેનો કંટ્રોલ સ્વામીની સખી પાસે હોવાનો પણ દાવો કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, 2022માં વારાણસીના વિદ્યા મઠમાં આશરે 2 મહિના રોકાઈ હતી. તેનો ઉદ્દેશ કાશી અને પ્રયાગ પર રિસર્ચ કરીને લખવાનો હતો આ માટે સ્વરૂપાનંદ સરસ્વતીએ પ્રોત્સાહિત કરી હતી. પરંતુ મઠની અંદરનો માહોલ જોતાં જ મારો અભિપ્રાય બદલાઈ ગયો હતો. તેણે દાવો કર્યો કે, મઠમાં કોઈ આધ્યાત્મિક કેન્દ્ર જેવી સાદગી કરતાં લક્ઝરી વધારે છે. ત્યાં એસી, એલઈડી ટીવીથી સજ્જ લક્ઝરી માહોલ છે.
મઠનું નિયંત્રણ સખી પાસે છે. એક મહિલાએ તેને સ્વામીની સખી ગણાવી હતી. જે ત્યાંની સર્વેસર્વા છે. મઠની અંદર પણ કેટલાક ગુપ્ત રૂમ છે, જ્યાં કોઈને જવાની મંજૂરી નથી. તેની દીદી લોકોનો વિસ્તાર કહેવાય છે. જ્યાં લિફ્ટથી જઈ શકાય છે અને અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
ભૂમિકા દ્વિવેદી મુજબ, મઠમાં રૂમો ઉપરાંત ગુપ્ત દરવાજો પણ છે. જેના પર સીસીટીવીથી નજર રાખવામાં આવે છે. સિક્યુરિટીનો એક્સેસ સખી પાસે છે. તેણે મઠ પરિસારમાં સ્વીમિંગ પુલ હોવાનો દાવો પણ કર્યો હતો. મઠમાં સામાન્ય રીતે સવારે 4 વાગ્યે ઉઠવાનો અને કડક નિયમોનું પાલન કરવાની પરંપરા હોય છે. પરંતુ ભૂમિકાના દાવા પ્રમાણે, મઠમાં લોકો પોતાની મરજીથી ઉઠે છે અને તેમની કોઈ ધાર્મિક દિનચર્યા નથી હોતી.
મે 2022માં બનારસ મઠમાંથી આવેલી ભૂમિકાએ દાવો કર્યો હતો કે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના રૂમમાં કોઈ પણ જઈ શકતું હતું, ત્યાં માત્ર પુસ્તકો અને ગ્રંથો જ મળતા હતા, પરંતુ અહીં (અવિમુક્તેશ્વરાનંદના સમયમાં) બધું જ છુપાયેલું અને રહસ્યમય છે. ભૂમિકા દ્વિવેદીનું કહેવું છે કે તે કોઈ પણ દબાણમાં નથી અને જે કંઈ તેણે પોતાની આંખોથી જોયું છે, તે જ જણાવી રહી છે. તેણે સખી સાથે અનેક તસવીરો હોવાનો પણ દાવો કર્યો હતો. ભૂમિકાના દાવાઓમાં કેટલી સત્યતા છે, તે તો તપાસ પછી જ સામે આવી શકશે, પરંતુ તેના દાવાઓએ મઠની અંદરની કથિત ગોપનીય પ્રવૃત્તિઓ અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શંકારાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો કેસ શું છે
તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ જિલ્લા અદાલતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ અરજી દાખલ કરી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટે પોલીસને તાત્કાલિક ગુનો નોંધી તપાસ કરવાનો કડક આદેશ આપ્યો હતો.