Friday, Feb 13, 2026

રાજપાલ યાદવ હજુ જેલમાં જ રહેશે, જામીન ન મળ્યા, કોર્ટે ઝાટકણી કાઢી

2 Min Read

રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. ચેક બાઉન્સ અને લોન ચુકવણી કેસમાં તેમને જામીન મળી શક્યા ન હતા. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. કોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. રાજપાલના પરિવારમાં લગ્ન છે, જેના કારણે તેમણે જામીન માટે અપીલ કરી હતી. જોક, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ રાજપાલને ઠપકો આપતા કહ્યું કે તેઓ તેમની જ ભૂલના કારણે જેલમાં છે.

દોઢ દાયકા જૂના લોન કેસના સંદર્ભમાં રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. અભિનેતાએ ફરિયાદીને વારંવાર ખાતરી આપી છે કે તે પૈસા ચૂકવી દેશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે પૈસા ચૂકવવામાં આવશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે કહ્યું કે આજે ફરીથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા ચૂકવવામાં આવશે. સુનાવણી દરમિયાન બ્રેક પહેલાં જસ્ટિસ શર્માએ વકીલને કહ્યું કે પૈસા આપવાની તૈયારી કરી લેજો.

બપોરે 2:30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી ફરી શરૂ થઈ હતી. રાજપાલના વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. તેમણે જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ ઠપકો આપ્યો કે રાજપાલ જેલમાં છે કારણ કે તેમણે પોતાના વચનનો અનાદર કર્યો હતો. તેમણે ઓછામાં ઓછા બે ડઝન વાર કહ્યું હશે કે તેઓ પૈસા ચૂકવશે, પરંતુ પછી તેમણે તેમનું કમિટમેન્ટ પુરું કર્યું નથી. રાજપાલની જામીન સુનાવણી હવે સોમવારે થશે. કોર્ટે બીજા પક્ષને જામીન અરજીનો જવાબ ફાઈવ કરવા કહ્યું છે.

રાજપાલ યાદવના પરિવારમાં 19 ફેબ્રુઆરીએ લગ્ન છે. તેમને તેમના ભાઈ શ્રીપાલ યાદવની પુત્રીના લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે લગ્નમાં હાજરી આપવા માટે અરજીમાં જામીન માટે અરજી કરી હતી.

Share This Article