Thursday, Mar 19, 2026

કાર્ડિયાક અરેસ્ટથી નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન

2 Min Read

નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુનીલ થાપાનું 68 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. નેપાળી ફિલ્મોમાં ‘રાતે કાઈલા’ તરીકે જાણીતા આ કલાકારે પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી, નેપાળી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊંડી છાપ છોડી છે.

હોસ્પિટલના અધ્યક્ષ રાજેન્દ્ર બહાદુર સિંહે પોસ્ટને જણાવ્યું હતું કે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સવારે 7:44 વાગ્યે કરવામાં આવેલા ECGમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાં ડોકટરોને હૃદયરોગન હુમલો હોવાનું શંકા હતી. જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. તાત્કાલિક ECG કરવામાં આવ્યું, જેમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ, હોસ્પિટલના એક સૂત્રએ પોસ્ટને જણાવ્યું.

સુનીલ થાપાની ફિલ્મી સફર અત્યંત રસપ્રદ રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદે તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક આપી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી જેવા કલાકારો હોવા છતાં તેમણે પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2014માં આવેલી ‘મેરી કોમ’ ફિલ્મ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ‘મેરી કોમ’માં ટ્રેનરનો જે રોલ તેમણે ભજવ્યો હતો, તે પહેલા અમિતાભ બચ્ચન અને ડેનીને ઓફર કરવામાં આવ્યો હતો. આ રોલ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

નેપાળી સિનેમામાં સુનીલ થાપાનું કદ ઘણું મોટું હતું. 1989માં આવેલી ફિલ્મ ‘ચિનો’ ને નેપાળી સિનેમાની ‘શોલે’ કહેવામાં આવે છે અને તેમાં સુનીલ થાપાએ ભજવેલું ‘રાતે કાઈલા’નું પાત્ર એટલું ખતરનાક હતું કે લોકો તેમને ‘ગબ્બર’ સાથે સરખાવવા લાગ્યા હતા. અભિનયની સાથે તેઓ નવી પેઢીને તૈયાર કરવામાં પણ માનતા હતા. તેઓ કાઠમાંડુમાં પોતાની ‘એવરેસ્ટ ફિલ્મ એકેડમી’ ચલાવતા હતા, જ્યાં તેઓ યુવા કલાકારોને માત્ર એક્ટિંગ જ નહીં પણ શિસ્ત અને સમયની કદર કરતા પણ શીખવતા હતા.

Share This Article