સુરતમાં તા.૧૪/૧/૨૦૨૬નાં રોજ મકરસંક્રાતિના પર્વની ઉજવણી થનાર હોય શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. જે અનુસાર તા.૧૪/૦૧/૨૦૨૬ અને ૧૫/૧/૨૦૨૬નાં દિવસે સુરત શહેરમાં તમામ ફ્લાઈ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનોને અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.
તેમજ ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવનારા અને નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.