મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું પાર્થિવ દેહ બપોરે 2 વાગ્યા સુધી કલમાડી હાઉસ, એરણ્ડવાણે, પુણે ખાતે દર્શનાર્થે રાખવામાં આવશે અને બપોરે 3:30 વાગ્યે નવિ પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનભૂમિમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.