આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર સુરત ગ્રામ્યમાં કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર, પતંગ ચગાવવા વપરાતી નાયલોન, સેન્થટીક મટીરીયલ, સેન્થેટીક પદાર્થથી કોટેડ કરેલી કે નોન-બાયોગ્રેડીબલ ચાઇનીઝ દોરી મેળવવા/સંગ્રહ/વેચાણ અને પતંગ ચગાવવા પર કે કપાયેલ પતંગ/દોરી પકડવા પર, લોખંડનો પાઉડર કે કાચનો ભુકો/પાઉડર સહિતના નુકશાનકારક પદાર્થ ચઢાવી બનાવેલા દોરા મેળવવા પર, સેન્થેટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા/સંગ્રહ/વેચાણ/ઉપયોગ/ઉત્પાદન કરવા કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા પર, ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુક્કલ) વેચવા/આયાત પર, સવારના ૦૬થી ૦૮ વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર, રેલ્વેટ્રેક નજીક તથા ઉપરથી પતંગ ઉડાવવા પર, ચાઇનીઝ તુક્કલ ઉડાવવા/ ખરીદવા,/આયાત/વેચાણ/કબજા કે સંગ્રહ કરવા પર તેમજ લોકોને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર અને લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર સહિતના કુદરતી ઘટકોની મદદથી કોટિંગ કરેલો ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો સંપૂર્ણપણે તૂટી શકે તેવો, પરંપરાગત રીતે બનાવાતા તથા તમામ બાયો-ડિગ્રેડેબલ પદાર્થો વાળો માંજો તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦% કે તેથી ઓછો, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવો કોટનનો માંજો/દોરી વાપરવા પર અમલ કરાશે નહીં. આ જાહેરનામાનો તા. ૧૬/૧/૨૦૨૬ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.