HomeGujaratપૃથ્વીના ‘CT સ્કેન’માં સૌરાષ્ટ્ર-કચ્છની ફોલ્ટ લાઈનો ખુલાસી, ભૂકંપ પાછળનું કારણ સામે આવ્યું

પૃથ્વીના ‘CT સ્કેન’માં સૌરાષ્ટ્ર-કચ્છની ફોલ્ટ લાઈનો ખુલાસી, ભૂકંપ પાછળનું કારણ સામે આવ્યું

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપના 2026માં 25 વર્ષ થશે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2008 થી 2024 વચ્ચે નોંધાયેલા 1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.

આ માટે પડ કાયમી અને 20 કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પળથ્વીના પડમાં થયેલા ફેરફારો એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે. જે ધ્રુજારી અને ભૂકંપનું કારણ બને છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં સૌથી આ^ યંજનક પરિણામ જોવા મળ્યું હતું. ભૂસ્તરશાષણીય રીતે ‘કચ્છ રિફટ બેસિન’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગુજરાતના બાકીના ભાગો કરતા પળથ્વીના પડમાં હલચલનું સ્તર ઘણું વધારે છે. મહત્વની વાત એ છે કે, આ હલચલ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, અલ્લાહ બંધ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવી મુખ્ય સક્રિય ફોલ્ટ લાઈનો સાથે સીધી રીતે જોડાયેલી છે. જે ૨૫ વર્ષ પહેલા આવેલા મોટા ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ સિસ્ટમ છે.

રિપોર્ટ મુજબ, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 9 કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા હતા. ૧૮૧૯માં અલ્લાહ બંધમાં 7.8ની તીવ્રતાનો અને 2001માં કચ્છમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા રિફટ બેસિનમાં થતી હલચલ સ્થાનિક ફોલ્ટ સ્ટ્રક્ચર્સને અનુસરે છે. જોકે, ઉત્તર ગુજરાત અને ખંભાત રિફટ બેસિનમાં, હલચલની દિશા ભારતીય પ્લેટની યુરેશિયન પ્લેટ તરફની એકંદર ગતિ સાથે વધુ સુસંગત છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ શા માટે વારંવાર આવે છે તેનાથી આ તારણોમાં સમજવામાં મદદ મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, તેનું કારણ મર્યાદિત વિસ્તારમાં અનેક ફોલ્ટ લાઈનોની પરસ્પર પ્રતિક્રિયા છે. જે પળથ્વીના પડમાં જટિલ અને સ્ટ્રેસ પેદા કરે છે. હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર સૂચવવો એ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય નહોતો. પરંતુ તે પળથ્વીના પડમાં થતી હલચલ અને સ્ટ્રેસની તપાસ કરવા માટે એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે.

Subscribe

Latest stories