Tuesday, Mar 3, 2026

યમુના એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, સાત બસ, ત્રણ કારમાં ભીષણ આગ, ચારના મોત

2 Min Read

મંગળવારે સવારે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસને કારણે સાત બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે માહિતી આપતા એસએસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે, “મંગળવારે સવારે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા એક મોટા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ગાઢ ધુમ્મસને કારણે સાત બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર થઈ હતી.”

વિઝિબિલિટી ન હોવાના કારણે 7 બસો અને 4 કાર એક બાદ એક ટકરાઈ. જે બાદ ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો છે. મથુરા જિલ્લાના SSP શ્લોક કુમારે 4 મોતની પુષ્ટિ કરી છે. તેમનો દાવો છે કે હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાંથી કોઈની હાલત ગંભીર નથી.

અકસ્માત યમુના એક્સપ્રેસ-વે પર માઈલસ્ટોન-127 નજીક થયો. બસો આગ્રાથી નોઇડા તરફ જઈ રહી હતી અને ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. 7માંથી 6 બસો સ્લીપર બસો હતી જ્યારે 1 રોડવેઝ બસ હતી. અકસ્માત બાદ સુરક્ષા કારણોસર માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનું કારણ જાણવા ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ કહ્યું, “હું દિલ્હી જઈ રહ્યો હતો. બસ અથડાઈ અને આગ લાગી. ઘણા લોકો ઘાયલ થયા, કેટલાક મૃત્યુ પામ્યા, અને હું પણ ઘાયલ થયો. લગભગ 250-300 લોકો ઘાયલ થયા, અને 50-60 લોકો મૃત્યુ પામ્યા.” બીજા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “અમે દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો.

Share This Article