Thursday, Mar 26, 2026

ઓપરેશન સિંદૂરમાં પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યાનો એર ચીફ માર્શલનો ખુલાસો

1 Min Read

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી અંગે વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે મોટું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી ભારતીય સેનાએ છ પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યા હતા. આ વિમાનોમાં પાંચ ફાઇટર જેટ અને એક જાસૂસી (રિકોનિસન્સ) વિમાન AWACSનો સમાવેશ થાય છે. વાયુસેનાના વડાએ કહ્યું કે અમે આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પાકિસ્તાની સેનાની કમર તોડી નાંખે તેવો આ હુમલો થયો હતો.

પાકિસ્તાની સેનાની કમર તોડી નાંખે તેવો આ હુમલો થયો હતો.

વાયુસેનાના વડા એપી સિંહે કહ્યું કે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં AEW&C/ELINT વિમાનને 300 કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું.

વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂર મુદ્દે કહ્યું કે, આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ અદ્ભુત કામ કર્યું છે. અમે તાજેતરમાં ખરીદેલી S-400 સિસ્ટમ ગેમ-ચેન્જર રહી છે. આ સિસ્ટમની રેન્જે ખરેખર પાકિસ્તાની વિમાનોને તેમના શસ્ત્રોથી દૂર રાખ્યા છે, જેમ કે પાકિસ્તાની સેના પાસે રહેલા લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનો તેઓ ઉપયોગ કરી શક્યા જ નથી. કારણ કે તેઓ સિસ્ટમમાં પ્રવેશ કરી શક્યા નથી.

જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે ભારતીય વાયુસેના તરફથી આ પહેલું સત્તાવાર નિવેદન છે.

Share This Article