Thursday, Oct 23, 2025

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત

1 Min Read

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબી જવાથી ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે હાલ ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા માટે ગયા હતા અને તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ત્રણેય બાળકો ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો હોવાની માહિતી સામે આવી છે. અને હાલ ત્રણે બાળકોના મૃતદેહને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલતદાર,પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ હોસ્પિટલ ખસેડી ત્રણેયના પોસમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો છે.

ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા

  • ભાવેશ ડાંગી (ઉ.વ.6)
  • હિતેશ ડાંગી (ઉ.વ.8)
  • નીતેષ માવી (ઉ.વ.7)
Share This Article