પહેલગામમાં થયેલા નરસંહાર બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યો. આ એર સ્ટ્રાઈકને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. જે બાદ 7 મેના બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી.
કર્નલ સોફિયા કુરેશી ગુજરાતની રહેવાસી છે. તેણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. ગુજરાતની રહેવાસી 36 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે.
સૈનિક તેરીકેની તેમણી કારકિર્દી 1999માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ 17 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેઓ શોર્ટ સર્વિસ કમીશનમાંથી સેનામાં સામેલ થયા હતા. કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.