HomeNationalઆગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ: તલવારો અને ડંડા લઈને પહોંચ્યા...

આગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ: તલવારો અને ડંડા લઈને પહોંચ્યા યુવાનો

Date:

Related stories

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની...

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો...

નેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી...
spot_img

આગ્રામાં શનિવારે કરણી સેનાના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા. કરણી સેનાના 80 હજારથી વધુ કાર્યકરો રાણા સાંગાની જયંતિ મનાવવા માટે આગ્રા પહોંચી ગયા છે. ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ કાર્યકરો આવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાર્યકરોની સંખ્યા 3 લાખ સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશના આગરામા કરણી સેનાના રક્ત સ્વાભિમાન રેલીની શરૂઆત થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા સાંગાની જન્મજયંતિ પર આયોજિત આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે સમાજ સાથે સંકળાયેલી લગભગ 10 સંસ્થાઓએ ભેગા થવાનું આહ્વાન કર્યું છે. આ રેલીમા લોકો તલવાર સહિતના હથિયારો લઈને જોવા મળી રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવાર રાતથી જ આવી રહ્યા હતા. રેલીમાં લગભગ એક લાખ લોકો પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાની સ્વાભિમાન રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ સ્થળોએ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

5 વાગ્યા પછી અમારો સમય
ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું કે અમે પ્રસ્તાવના દ્વારા સરકારને સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. ત્યાં સુધી જો તેઓ અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે. તેમણે કહ્યું કે સાંજે ૫ વાગ્યા સુધીનો સમય સરકાર અને વહીવટનો છે. ત્યાર પછી આપણો સમય શરૂ થશે.

રાજ્યસભામાં ઔરંગઝેબ વિવાદ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને મહારાણા સાંગા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે સપા નેતાનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, કરણી સેનાએ આગ્રામાં સાંસદના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કર્યું, અને તેમના પર વિવાદાસ્પદ નિવેદનો દ્વારા રાણા સાંગાની છબી ખરડવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હવે રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેના સાંસદ સામે વિરોધ પ્રદર્શન કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે.

Subscribe

Latest stories

spot_img