Monday, Dec 29, 2025

અનંત અંબાણીની પદયાત્રામાં જોડાયા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો

2 Min Read

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે આઠમો દિવસ છે. આજે વહેલી સવારે 5 વાગ્યે તેમણે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આઠ દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેઓ ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા.

અનંત અંબાણી 28 માર્ચથી મોટી ખાવડીથી દ્વારકાની પદયાત્રાએ નિકળ્યા છે. દરરોજ રાત્રે અથવા વહેલી સવારથી તેઓ 10 થી 12 કિલોમીટર જેટલુ અંતર પગપાળા કાપે છે. સિકયોરીટીના વિશાળ કાફલા સાથે તેઓ પદયાત્રા કરી રહ્યા છે. હાલ તેઓ દ્વારકાથી 40 કિ.મી. દૂર છે.

થોડા દિવસ પહેલા રિલાયન્સના વન્ય પ્રાણી રેસ્કયું સેન્ટર વનતારાની મુલાકાતે આવેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગઇકાલે સાંજે ફરી જામનગર આવી પહોંચ્યા હતા અને સીધા રિલાયન્સ ટાઉનશીપ ખાતે આવેલા અનંત અંબાણીના નિવાસે પહોંચ્યા હતા. આજે પરોઢીયે તેઓ અનંત અંબાણી સાથે પદયાત્રામાં પણ જોડાયા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ભક્તિ અને શક્તિની યાત્રા છે, મારા પરમમિત્ર અનંત અંબાણી દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે. તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે. મારા તો ખાસ મિત્ર છે. મને ખૂબ ગૌરવ છે. હું પણ તેઓની સાથે પદયાત્રામાં જોડાયો છું. આ પદયાત્રાથી એક સંદેશ આપવા માગું છું કે, આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ બિલ્ડિંગ હવામાં ઊભી ન રહી શકે. જમીન પર જ બિલ્ડિંગ ઊભી રહી શકે છે. દ્વારકાધીશ અનંત અંબાણીની સાથે છે.

Share This Article