ગત રવિવારે મોડી રાત્રે અમદાવાદના વટવામાં રોપડ ગામ પાસે બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રાતે 11 વાગ્યાની આસપાસ ક્રેન તૂટી ગઈ હતી. આ કેન તૂટતા રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટયો હતો, જેને લીધે અમદાવાદ-મુંબઈનો રેલવે વ્યવડાર ખોરવાયો હતો. આ પછી રેલવે વિભાગ દ્વારા રૂટ ફરી કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના 29 કલાક પછી રેલવે વ્યવહાર કાર્યરત કરાયો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દુર્ઘટનાના 25 કલાક પછી મહાકાય સ્ટ્રક્ચર દૂર કરાયું છે. આજે વહેલી સવારે 4 વાગ્યે રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલવેના મેનેજર અને મુખ્ય એન્જિનિયર સ્થળ પર હાજર રહ્યા હતા. આમ CPRO સહિતના અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનાને લીધે ગઈકાલે 25થી વધુ ટ્રેન 25 ટ્રેન રદ કરવાની સાથે 11 ટ્રેન રીશેડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેને લીધે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતના હજારો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.