HomeNationalછત્તીસગઢના બીજાપુરમાં 22 નકસલી ઠાર, એક જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં 22 નકસલી ઠાર, એક જવાન શહીદ

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

ભારતના વિવિધ રાજ્યોમાં નક્સલવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બીજાપુર અને દંતેવાડામાં સુરક્ષાદળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કાર્યવાહીમાં સુરક્ષા દળોની ટીમે 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.

છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદનો અંત લાવવા માટે સૈનિકો સતત જંગલોમાં ફરી રહ્યા છે જેમાં તેમને સફળતા પણ મળી છે. માઓવાદીઓ સતત થઈ સૈનિકોનો નુકસાન પહોંચાડવાની રણનીતિઓ ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ નક્સલવાદીઓ સૈનિકો સાથે એન્કાઉન્ટર કરવાનો અથવા સૈનિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પછી પણ તે સફળ થયા નથી. ત્યારે આજે ગંગાલૂર અને દંતેવાડાના જંગલોમાં સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ 18 નક્સલીઓને ઠાર માર્યા છે.

Subscribe

Latest stories

spot_img