Wednesday, Mar 25, 2026

“ડુબકી લગાવવાથી ન મળે મોક્ષ”, શ્રી રવિશંકરે મહાકુંભ વિશે શું કહ્યું ?

1 Min Read

પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર 7માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે.

ધર્મગુરૂએ કહ્યું કે મહાકુંભ દરમિયાન ફક્ત સંગમમાં ડૂબકી લગાવવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. ખાપ્સના અભિયાનને ટેકો આપતા તેમણે કહ્યું કે લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. આ જાતિને બચાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, હિન્દુ લગ્ન કાયદામાં સુધારો કરવો જોઈએ. આ રૂઢિચુસ્તતા નથી પણ વૈજ્ઞાનિક આધાર છે.

શ્રી શ્રી રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, ‘પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.’

Share This Article