Wednesday, Mar 25, 2026

મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત, 10 શ્રદ્ધાળુના મોત

2 Min Read

પ્રયાગરાજમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ જિલ્લામાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં 10 શ્રદ્ધાળુના મોત અને 19 ઘાયલ થયા હતા. બનાવની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અને ઇજાગ્રસ્તોનો હૉસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી.

મિર્ઝાપુર પ્રયાગરાજ હાઈવે પર શુક્રવાર મોડી રાત્રે બોલેરો કાર અને બસની ટક્કર થઈ. બોલેરો કારની બસ સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો. બોલેરો કારમાં સવાર 10 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા. બોલેરો કારમાં સવાર શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાંનો લાભ લેવા પહોચ્યા હતા. બોલેરોના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જતા હતા. જ્યારે બસમાં સવાર શ્રદ્ધાળુઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓને ગંભીર ઇજા પહોચી હતી. બસમાં સવાર શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બનવા પામી હતી.

પ્રયાગરાજના મેજા વિસ્તારમાં આ ભીષણ અકસ્માત શુક્રવાર-શનિવારની રાતે 2 વાગ્યે સર્જાયો હતો. એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ ટક્કરને કારણે જોરદાર ધડાકો થયો હતો અને બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતકોમાં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે. સ્થાનિકોએ ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતકોના શબ કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share This Article