HomeNationalબોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ મહાકુંભ સંગમમાં લગાવી ડૂબકી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મહાકુંભમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે અને આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે બોલીવુડના પણ અનેક સિતારાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટ જગતના મહારથીઓ વગેરે અનેક લોકો મહાકુંભમાં પધારીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ તાજેતરમાં મહાકુંભમાં આવ્યા હતા અને તેમણે આસ્થાની પવિત્ર ડુબકી લગાવી હતી.

પ્રયાગરાજમાં સંગમ તીર્થે પહોંચ્યા બાદ તેમણે સ્નાન પણ કર્યું હતું. તેમણે આ ક્ષણને દિવ્ય ક્ષણ ગણાવી હતી. આ સમય દરમિયાન તેઓ મહાકુંભની ભવ્યતાથી પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે એવું લાગી રહ્યું છે જાણે તેમણે ખરેખર ગંગાસ્નાન કર્યું હોય.

સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘મહાકુંભ માટે જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અદ્ભુત અને દૈવી છે. કરોડો લોકોનું આગમન અને મા ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ ખરેખર સનાતનની શક્તિ છે. અભિનેતાએ આગળ કહ્યું હતું કે, ‘દર કલાકે લાખો લોકો સ્નાન કરે છે અને જતા રહે છે. આવી વ્યવસ્થા ક્યાંય ન બની શકે. મહાકુંભમાં આવવું અને ગંગામાં ડૂબકી લગાવવી એ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે.

મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવ્યા બાદ સુનિલ શેટ્ટીએ મીડિયા સાથે વાત પણ કરી હતી અને તેમણે મેળાની વ્યવસ્થા વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ સમય દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને યુપીના મુખ્યપ્રધાન યોગ્ય આદિત્યનાથના નેતૃત્વમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો ભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની દિલ ખોલીને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

Subscribe

Latest stories

spot_img