પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર બુધવારે સાંજે પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેના દ્વારા અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી ગોળીબાર બંધ થઈ ગયો. પાકિસ્તાની સેના દરરોજ આવી નાપાક હરકતો કરતી રહે છે.
પાકિસ્તાની બાજુ કેટલી જાનહાનિ થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે દુશ્મન દળોને “ભારે નુકસાન” થયું છે. ભારતીય સેનાએ આ માહિતીની પુષ્ટિ કે ખંડન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન દ્વારા સતત ઘડવામાં આવી રહેલા કાવતરાઓને ધ્યાનમાં રાખીને, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત, જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને આઈજીપી જમ્મુ પણ હાજર રહેશે.
પાકિસ્તાની બાજુ કેટલી જાનહાનિ થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે દુશ્મન દળોને “ભારે નુકસાન” થયું છે. ભારતીય સેનાએ આ માહિતીની પુષ્ટિ કે ખંડન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.