Friday, May 15, 2026

મહાકુંભમાંથી પરત ફરી રહેલા મુસાફરોને નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુના મોત

1 Min Read

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થયા છે. મહાકુંભથી પરત ફરતી બસ એક ટ્રક સાથે ટકરાઇ હતી જે બાદ અકસ્માત સર્જાયો હતો.

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી. બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આજથી મહા કુંભ મેળા માટે બહારથી આવતા ભક્તોના વાહનો સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે. આજે સાંજે 5:00 વાગ્યા પછી પ્રયાગરાજ શહેરમાં નો વ્હીકલ ઝોન રહેશે. જોકે, આવશ્યક અને કટોકટી સેવાઓ પૂરી પાડતા વાહનોને મુક્તિ આપવામાં આવશે. પ્રયાગરાજ વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો જ પ્રવેશી શકશે. આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભક્તો મેળા વિસ્તારમાંથી સરળતાથી બહાર નીકળી ન જાય. પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને બહાર નીકળવા પરનો આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ પડશે.

Share This Article