HomeGujaratદુષ્કર્મ કેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં, પોલીસ એલર્ટ બની

દુષ્કર્મ કેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં, પોલીસ એલર્ટ બની

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

સગીરા પર દુષ્કર્મ કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં રહેલ આસારામની તબીયત સારી ન રહેતી હોઈ તેઓને સારવાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તા. 31 મી જાન્યુઆરી સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી સજા ભોગવી રહેલ આસારામને શરતી જામીન મળતા તે આજે અમદાવાદ ખાતે મોટેરા આશ્રમ પહોંચ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આપવામાં આવેલ શરતી જામીનમાં આસારામ અનુયાયીઓને મળી શકશે નહી તેવી શરત હોવા છતાં આસારામને મળવા માટે અનુયાયીઓ આશ્રમ ખાતે પહોંચતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી ગઇ હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યો છે. વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન ઉભો કરે તે માટે થઈને ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીન મંજૂર કર્યા છે, જોકે આ સમયગાળા દરમિયાન કડક શરતો પણ લાગુ થશે. વચગાળાના જામીનના સમયગાળા દરમિયાન આસારામ બાપુ તેમના અનુયાયીઓ અને અનુયાયીઓને મળી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. આસારામ બાપુ 17 દિવસની પેરોલ પૂરી થયા બાદ છ દિવસ પહેલા રાજસ્થાનની જોધપુર જેલમાં પરત ફર્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img