Friday, May 15, 2026

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

1 Min Read

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢતા સમયે છાતીમાં દુખાવો થતાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી.

ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સંચાલકોએ બાળકીનું મોત હાર્ટ એટેકનાં કારણે થયું હોવાનું જણાવ્યું છે. જો કે આ દાવાની સચ્ચાઇ અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી બાળકી. અચાનક હાર્ટ એટેક આવવાના કારણે શાળા દ્વારા તેને તત્કાલ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવી હતી. જો કે ત્યાં ટુંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article