Saturday, May 16, 2026

ISROના નવા અધ્યક્ષ બનશે ડૉ. વી નારાયણન

2 Min Read

વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નવા અધ્યક્ષ બનશે. ભારત સરકારે મંગળવારે આ જાણકારી આપી. વી નારાયણન ઇસરોના અધ્યક્ષ તરીકે ડૉ. એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ઈસરો (ISRO)ના વડા એસ સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.

વિજ્ઞાનના ક્ષેત્રમાં ડોક્ટર વી નારાયણનનું મોટું નામ છે. 1989 માં આઈઆઈટી ખડગપુરથી તેમણે ક્રાયોજેનિક એન્જીનિયરિંગમાં એમટેક કર્યું છે. તેમણે એરોસ્પેસ એન્જીનિયરિંગમાં પીએચડીની ડિગ્રી લીધી છે. નારાયણન 1984 માં ઈસરોમાં જોઈન થયા હતા. ઈસરોમાં ચાર દાયકા કરતાં વધુ સમયગાળાના અનુભવ દરમિયાન તેઓ અનેક મહત્વના પદ પર ફરજ બજાવી ચુક્યા છે.

તેમણે આદિત્ય અંતરિક્ષ યાન અને GSLV MK III મિશનો, ચંદ્રયાન 3 અને ચંદ્રયાન 3 માં પ્રોપલ્શન સિસ્ટમમાં પણ યોગદાન આપી ચુક્યા છે. તેઓ મેનેજમેન્ટ કાઉન્સિલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રોજેક્ટના અધ્યક્ષ પણ છે. સાથે જ તેઓ ગગનયાન માટેના હ્યુમન રેટેડ સર્ટિફિકેશન બોર્ડના અધ્યક્ષ પણ છે. તેઓ હાલ લિક્વિડ પ્રોપ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર છે.

વી નારાયણને એબ્લેટીવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નીટર કેસના પ્રક્રિયા આયોજન, પ્રક્રિયા નિયંત્રણ અને અમલીકરણમાં યોગદાન આપ્યું હતું. હાલમાં નારાયણન LPSC ના નિયામક છે, જે ISROના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, જેનું મુખ્ય મથક વાલીયામાલા, તિરુવનંતપુરમ ખાતે છે, જેમાં બેંગલુરુમાં એક યુનિટ છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં નિષ્ણાત છે.

આ પણ વાંચો :-

Share This Article