Saturday, May 16, 2026

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 3ના મોત

1 Min Read

ઉત્તરાખંડમાં એક દુર્ઘટના સર્જાઇ છે. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ નજીક ઉંડી ખાઇમાં પડી હતી. અકસ્માત બાદ ચારે બાજુ ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 26થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ-તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. ખીણમાંથી ઘાયલોને બહાર કાઢવામાં ખુબ મુશ્કેલી થઈ રહી છે. ઘાયલોને દોરડાં અને ખભા પર રાખીને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. અકસ્માતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ એમ માનવામાં આવે છે કે ડ્રાઇવરની ચૂકથી આ અકસ્માત થયો હતો. જોકે, પોલીસની ટીમ હાલમાં ઘટનાની તપાસમાં લાગેલી જ છે.

બીજી તરફ, 15 એમ્બ્યુલન્સ હલ્દ્વાની મોકલવામાં આવી છે. મોટા સ્તરે બચાવ ટીમ કામે લાગી છે. હાલ ઘાયલોને સીએચસી ભીમતાલ લઈ જવાયા છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો :-

Share This Article