ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ધોનીને તેના ભૂતપૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્ય દાસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ મોકલી છે. કોર્ટે ધોનીને કોર્ટમાં આવીને આ મામલામાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, મિહિર દિવાકર અને સૌમ્ય દાસ ‘આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. બંનેએ મહેન્દ્ર સિંહ ધોની સાથે તેમના નામે ક્રિકેટ એકેડમી ખોલવાનો કરાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી MS ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ધોનીએ 5 જાન્યુઆરીએ ઝારખંડની રાજધાની રાંચીમાં તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
મિહિર દિવાકર અને સૌમ્ય દાસે આ સમગ્ર મામલે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો હતો. આ જ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે નોટિસ મળ્યા બાદ ધોની કેટલો સમય પોતાનો પક્ષ રજૂ કરે છે. કારણ કે તેમને કઈ તારીખ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.
IPL 2025માં રમવા માટે ધોની તૈયાર છે. ટૂંક સમયમાં ધોની IPLમાં રમવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળશે. CSKએ તેને આગામી સિઝન માટે રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યો છે. ધોનીએ કહ્યું હતું કે, એક ખેલાડી તરીકે તે છેલ્લા કેટલાક વર્ષોમાં જે પણ ક્રિકેટ રમી રહ્યો છે તેનો તે આનંદ માણવા માંગે છે.
આ પણ વાંચો :-