Saturday, May 16, 2026

ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશો વચ્ચે વિવાદ, પોલીસે કર્યો લાઠીચાર્જ

2 Min Read

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે મંગળવારે વકીલો અને ન્યાયાધીશો વચ્ચે વિવાદ થયો હતો. ગાઝિયાબાદ કોર્ટ કેમ્પસમાં ન્યાયાધીશ અને વકીલ એકબીજા સાથે બબાલ થઈ હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટમાં વકીલો અને જિલ્લા ન્યાયાધીશ વચ્ચે એક કેસને લઈને દલીલ થઈ હતી, જે વિવાદ ખૂબ વધી ગયો હતો. મામલો એવા તબક્કે પહોંચ્યો કે ન્યાયાધીશોએ પોલીસને બોલાવવાની જરૂર પડી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કોર્ટ રૂમમાં જ વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે અનેક વકીલો ઘાયલ થયા છે. આ ઘટના બાદ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, જિલ્લા ન્યાયાધીશોએ કોર્ટ રૂમમાં કામનો બહિષ્કાર કર્યો છે. કોર્ટ રૂમમાં જ વકીલોની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ ઘટના બાદ બાર એસોસિએશને વકીલોની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ જ વકીલો આગળની રણનીતિ અંગે વિચારણા કરશે.

કોર્ટમાં જ 30થી 35 પોલીસકર્મીઓ વકીલોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ કોર્ટ રૂમમાં હાજર વકીલોને ખુરશીઓ ઉઠાવીને મારતા પણ જોવા મળે છે. ગાઝિયાબાદ જિલ્લા કોર્ટ રૂમમાં વકીલોની મારપીટનો મામલો હવે પોલીસ, જજ vs વકીલો વચ્ચે બની ગયો છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે વકીલોએ જજો સાથે ગેરવર્તન કર્યું હોય. આ પહેલા પણ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવા અનેક મામલા બહાર આવી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

Share This Article