કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપરાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. સરકારના આ પ્રસ્તાવને હવે ઉપરાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને 17મી ઓક્ટોબરના રોજ જ મંજૂરી આપી દીધી હતી. ઉપરાજ્યપાલ દ્વારા 19મી ઓક્ટોબર તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરૂઆત હશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે.
નોંધનીય છે કે, 4 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો પ્રથમ સત્ર યોજાશે. આ દરમિયાન કેબિનેટે ઉપરાજ્યપાલને વિધાનસભા બોલાવવા અને તેને સંબોધિત કરવાની સલાહ આપી છે. હાલ એલજીએ સ્પીકરની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. હવે મુબારિક ગુલ પ્રોટેમ સ્પીકર તરીકે 21 ઓક્ટોબરે તમામ ધારાસભ્યોને શપથ અપાવડાવશે.
આ પણ વાંચો :-