Saturday, May 16, 2026

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને આપવામાં આવી Z કેટેગરી સુરક્ષા

2 Min Read

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં આજે સોમવારે વધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ જૂથ)ના વડાને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. અગાઉ ચિરાગ પાસવાનને SSB કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી હતી. જો કે, Z કેટેગરીની સુરક્ષાની ઉપલબ્ધતા સાથે, તેમને હવે CRPF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હકીકતમાં, આ નિર્ણય IBના ધમકીના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે.

INTERVIEW | 'I am inseparable from Modi', says Union minister Chirag Paswan, denies rift with BJP

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે Z કેટેગરી હેઠળ ચિરાગ પાસવાનની સુરક્ષામાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તેહનાત રહેશે. આ સાથે જ 10 સશસ્ત્ર ગાર્ડ તેમના નિવાસ સ્થાન પર તેહનાત રહેશે. આ ઉપરાંત 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કોર્ટના 12 કમાન્ડો, વોચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેન્ડ ડ્રાઈવરો ચોવીસ કલાક હાજર રહેશે.

Z કેટેગરીની સુરક્ષામાં ખાસ પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. આ સુરક્ષા વ્યવસ્થા 24 કલાક ઉપલબ્ધ રહે છે. તાજેતરમાં ચિરાગ પાસવાનની રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. તેમની પાર્ટી અને સમર્થકોએ આ નિર્ણયને આવકાર્યો છે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ચિરાગ પાસવાન કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની પાર્ટી 2014થી મોદી સરકારનો હિસ્સો છે, પરંતુ નરેન્દ્ર મોદીના બે કાર્યકાળમાં તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં નહોતી આવી. પોતાને મોદીના હનુમાન ગણાવતા ચિરાગ પાસવાન સતત પોતાની પાર્ટીના વિસ્તરણ પર કામ કરી રહ્યા છે. થોડા સમય પહેલા IBએ ચિરાગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ધમકીનો રિપોર્ટ સોંપ્યો હતો, તેને ધ્યાનમાં રાખી હવે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article