HomeNationalઅભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ

અભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત સોમવારે મોડી રાત્રે અચાનક બગડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર તેને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રજનીકાંતની હાલત સ્થિર છે. તમને જણાવી દઈએ કે રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘વેટ્ટયન’નું ટ્રેલર ૨ ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

अचानक तबीयत बिगड़ने के बाद अस्पताल में भर्ती हुए रजनीकांत, जानें उनकी सेहत से जुड़े लेटेस्ट अपडेट | rajnikant unwell admitted to hospital news update in hindi | OnlyMyHealth

ફિલ્મના મેકર્સે હાલમાં જ રજનીકાંતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘વેટ્ટયન’માં રજનીકાંત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં જોવા મળશે, જયારે અમિતાભ બચ્ચનનું પાત્ર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની સામે છે. આ ફિલ્મની બધા ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર બંને દિગ્ગજ કલાકારોની જોરદાર એક્ટિંગ જોવાનો મોકો મળશે.

ભારત સરકારે રજનીકાંતને વર્ષ 2000માં પદ્મ ભૂષણ અને તે પહેલા ૨૦૧૬માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. આ સિવાય તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતા માટે શેવેલિયર શિવાજી ગણેશન પુરસ્કાર મળ્યો છે. ૪૫મી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2014માં તેમને ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ માટે શતાબ્દી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ના 50મી આવૃત્તિમાં તેણીને આઈકોન ઓફ ગ્લોબલ જયુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિલ સિનેમાના ઈતિહાસમાં એમજી રામચંદ્રન પછી તે બીજા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમને ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img