HomeNationalઅમરાવતીમાં બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં 4 લોકોના મોત, 25...

અમરાવતીમાં બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં 4 લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને ઈજા થઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં એક સગીર અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહિલાઓની ઓળખ 65 વર્ષીય ઈન્દુ સમાધાન ગંત્રે અને 30 વર્ષીય લલિતા ચિમોટે તરીકે થઈ છે.

મેલઘાટમાં વળાંકવાળો રસ્તો હોવાને કારણે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેને પગલે બસ ખાઈમાં પડી હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સેમાડોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ભયાવહ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે NDRFની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img