HomeNationalમહારાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

મહારાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

મહારાષ્ટ્રમાં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોસ્ટર વોર શરૂ થઈ છે. મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપને ભારતીય જનતાના ખિસ્સાકાતરુ એટલે કે જનતાને લૂંટનારી પાર્ટી તરીકે વર્ણવવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 100 થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિનંતી કરી હતી, જેને ગડકરીએ સ્વીકારી લીધી છે. ગડકરીએ કહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે.

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જો કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 25 વિધાનસભા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img