HomeNationalઆ દેશના રાજ્યની આર્થિક હાલત બગડી, CM અને મંત્રીઓ 2 મહિના નહીં...

આ દેશના રાજ્યની આર્થિક હાલત બગડી, CM અને મંત્રીઓ 2 મહિના નહીં લે પગાર

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ રાજ્યની ખરાબ આર્થિક સ્થિતિથી નિપટવા એક મોટું એલાન કર્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ સહિત બે મહિના સુધી વેતન-ભથ્થાં ના લેવાનું એલાન કર્યું છે. રાજ્ય પર રૂ. 87,000 કરોડનાં દેવાં છે, જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધી વધીને રૂ. 94,992 કરોડ થઈ જશે. આમ રાજ્યમાં દરેક વ્યક્તિ પર રૂ.1.17 લાખનું દેવું છે.

CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે જૂન, 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે રાજ્યને વાર્ષિક રૂ 2500થી 3000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને કારણે રાજ્યને રૂ. 2000 કરોડનો બોજ પડ્યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.

તેમણે કહ્યું હતું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ ગ્રાન્ટ રૂ. 8058 કરોડ હતી, જે આ વર્ષે ઘટીને રૂ. 6258 કરોડ થઈ છે. એટલે કે રૂ. 1800 કરોડનો ઘટાડો થયો છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યની નબળી નાણાકીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24 માટે મહેસૂલ ખાધ ગ્રાન્ટ (RDG) રૂ. 8,058 કરોડ હતી, જે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1,800 કરોડ ઘટીને રૂ. 6,258 કરોડ થઈ છે. “મહેસૂલી ખાધની અનુદાન 2025-26માં રૂ. 3,000 કરોડ ઘટીને માત્ર રૂ. 3,257 કરોડ થશે, જે આપણા માટે આપણી જરૂરિયાતોને પૂરી કરવાનું વધુ મુશ્કેલ બનાવશે,” તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img