HomeSurat Cityઓલપાડ કોલેજમાં ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન યોજાઈ

ઓલપાડ કોલેજમાં ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન યોજાઈ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડમાં આજે તા:૦૧/૦૮/૨૪ના રોજ ઇતિહાસ વિભાગ દ્વારા ઇતિહાસ વર્તુળ અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેનો વિષય દક્ષિણ ગુજરાતના ઇતિહાસના સાધનોની જાણકારીને લગતો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન ઓલપાડ કોલેજના ઇતિહાસ વિભાગના વડા ડો. એન.કે. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઓલપાડ નામ ભટ્ટગામ ખાતે ગાંધીજી દાંડીકુચ દરમિયાન રોકાયા હતા. તે જગ્યા આજે દાંડીમંદિર તરીકે પ્રખ્યાત બની છે.

આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા વ્યારા કોલેજના ઇતિહાસના અધ્યાપક ડો. ધર્મેશ પંડ્યા હતા. કાર્યક્રમની શરુઆત એમ એ ઇતિહાસની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. રાજેશ પટેલે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધનમાં ઇતિહાસનું અને સિંધુ ખીણની સંસ્કૃતિ ધોળાવીરામાં પાણીના સંગ્રહનું મહત્વ વિદ્યાર્થીઓને ઉદાહરણ સહિત સમજાવ્યું હતું.

મુખ્ય વક્તા ડૉ. ધર્મેશ પંડ્યાએ ઇતિહાસ સંશોધનમાં સાધનોના મહત્વ અંગે જણાવતા કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ઇતિહાસના સાધનો સાહિત્યની સાથે સાથે અનેક અવશેષીય પુરાવાઓ પણ મળે છે. તેમણે કામરેજ અને કીમ નદી પાસેના અવશેષો વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

ઇતિહાસના સંશોધનમાં સિક્કા શાસ્ત્રના મહત્વ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતનો કિલ્લો એક ઐતિહાસિક ઈમારત છે અને તે પણ ઇતિહાસ જાણવા માટે અગત્યનું સાધન છે. તેમણે ડાંગ દરબારથી લઈને નર્મદ સુધીના લેખકોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપાચાર્ય રોહિતભાઈ ઢીમર, સંસ્કૃત વિભાગના ડો. શુરવીર સિંહ ઠાકોર, હિન્દી વિભાગના પ્રોફેસર દક્ષાબેન ટેલર, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ગીતાબેન ગરાસીયા, ગુજરાતી વિભાગના ડો.રચનાબેન પટેલ, ડૉ. પિયુષ અંજારિયા તેમજ ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓની સાથે સાથે ઇતિહાસ જાણવામાં રસ ધરાવતા અન્ય વિષયોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યાપક ડો. પ્રવીણ ચૌધરીએ આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img