HomeNationalવન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું...

વન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું પડશે!

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવેલા 18,000થી વધુ પાનાના અહેવાલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ કહ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી વિકાસ પ્રક્રિયા અને સામાજિક સંકલનને પ્રોત્સાહન મળશે. આ સાથે લોકશાહી પરંપરાનો પાયો વધુ ઊંડો થશે અને તે ભારતની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરશે. વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિએ ૬૨ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેના પર ૪૭ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી.

જેમાં ૩૨ પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે ૧૫ રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં આ ૫ મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી રહી હતી. તેથી તેમણે મોકાનો ફાયદો ઉઠાવી મધ્યસત્ર ચૂંટણી યોજી દીધી હતી. ગરીબી હટાવોનો નારો આપીને ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા. વિરોધીઓએ ઇન્દિરા હટાવોનો નારો આપ્યો હતો પણ ગરીબી હટાવોનો નારો મજબુત સાબિત થયો હતો અને ૧૮ માર્ચ ૧૯૭૧ના રોજ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ફરી શપથ લીધા હતા.

ઈતિહાસમાં નોંધાયેલ રેકોર્ડ અનુસાર વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે ચૂંટણીના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી ૧૯૭૨માં થનાર હતી પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી દીધી હતી. તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ બનાવ્યું હતું. કોંગ્રેસના પણ બે ભાગ થઇ ગયા હતા.

સમિતિએ કહ્યું છે કે, આવી સિસ્ટમ લાગુ કરવા માટે બંધારણની કલમ ૮૩ અને કલમ ૧૭૨માં સુધારો કરવાની જરૂર પડશે. સમિતિએ કહ્યું છે કે, આ બંધારણીય સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવાની જરૂર નથી. સમિતિએ બંધારણીય સુધારાની પણ ભલામણ કરી છે જેથી ૨૦૨૯ સુધીમાં લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજી શકાય.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની આગેવાની હેઠળની સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સમિતિએ પોતાની ભલામણોમાં કહ્યું છે કે ત્રિશંકુ સ્થિતિ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઈ સ્થિતિના કિસ્સામાં નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે.

 

Subscribe

Latest stories

spot_img