કર્ણાટક રાજ્યમાંથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ઘમકીનો ચોંકનારો કિસ્સો સામે આવ્યો છે. યાદગીરી જિલ્લાના રંગમપેટનો રહેવાસી મોહમ્મદ રસૂલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ કેશમાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ યાદગીરી સુરપુર પોલિસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેશ નોધવામાં આવ્યો છે.
વાસ્તવમાં મોહમ્મદ રસુલ ક્દ્દરે નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેયર કર્યો છે. જેમાં તે હાથમાં તલવાર લઈને પીએમ મોદી અને યોગી આદિત્યનાથને ધમકી આપી રહે છે. જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તે પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછીસ્થાનિક ભાજપ નેતાઓની ફરિયાદ પર, રસુલ વિરુદ્ધ IPCની કલમ ૫૦૫(૧)(b), ૨૫(૧)(b) અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધી છે.
અધિકારીઓએ કહ્યુ કે તેમણે હૈદરાબાદ સહિત જુદા-જુદા સ્થળો પર આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. રસૂલ પહેલા હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. સુરપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પ્રકારનો વીડિયો બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ પહેલીવાર સામે આવી છે. આ વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં આરોપી તલવાર લઈને ઊભો જોવા મળે છે. જો કે, ઘણી વખત કેટલાક લોકો લાઈમલાઈટમાં આવવા માટે આવી હરકતો કરતા હોય છે. પીએમ માટે આવી પોસ્ટ મૂકતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી છે.
આ પણ વાંચો :-
- પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને રૂખસદ
- સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસ એલર્ટ