HomeNationalપંજાબના ૧૪ હજાર ખેડૂતો, ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી... શંભુ બોર્ડર પર બની રણભૂમિ

પંજાબના ૧૪ હજાર ખેડૂતો, ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી… શંભુ બોર્ડર પર બની રણભૂમિ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

શંભુ બોર્ડર પર હવે ખેડૂત આંદોલનની સ્થિતિ વધુ ઉગ્ર બની રહી છે. સવારે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર દિલ્હી ચલો માર્ચ હેઠળ ખેડૂતોએ આગળ વધવાનું શરૂ કર્યું, ત્યારે તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા. જેના કારણે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, તે દરમિયાન, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે વિરોધીઓને આગળ ન વધવાની અપીલ કરી.

દરમિયાન, સરકારે અંદાજ લગાવ્યો છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી, ૩૦૦ કાર, ૧૦ મિની બસો તેમજ નાના વાહનો સાથે લગભગ ૧૪,૦૦૦ લોકો એકઠા થયા છે. જો કે, પ્રશાસન પણ તેમને રોકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માત્ર હરિયાણામાં જ નહીં, દિલ્હીની સરહદો પણ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. ખેડૂતોની કૂચને લઈને દિલ્હી પોલીસે દરેક ખૂણા પર તકેદારી રાખી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ બુધવારે દિલ્હી તરફ ખેડૂતોની કૂચ વચ્ચે ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

હરિયાણા પોલીસને ડર છે કે આ મશીનો દ્વારા પંજાબ અને હરિયાણા બોર્ડર પોઈન્ટ પર તહેનાત જવાનોને નુકસાન થઈ શકે છે. પોલીસે ટ્વિટરની મદદથી એક પોસ્ટ કરતાં અપીલ કરી હતી કે પોકલેન, JCB ના માલિકો અને ઓપરેટરોને વિનંતી છે કે કૃપા કરીને દેખાવકારોને તમારા સાધનો ઉપલબ્ધ ન કરાવો અને તેમને દેખાવસ્થળ પરથી હટાવી લો કારણ કે તેનો ઉપયોગ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે અને તમારી સામે કાર્યવાહી થઇ શકે છે.

વાટાઘાટો દરમિયાન, કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે સરકાર એવી તમામ પેદાશો જેની સરકાર મોટા પાયે આયાત કરી રહી છે અને તેમાં કઠોળ અગ્રણી છે તેની સંપૂર્ણ ખરીદી અને MSP આપવા સરકાર તૈયાર છે. જો કે આ માટે ખેડૂતોએ આવા વધુ પાક ઉગાડવા પડશે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આવતીકાલે ચંદીગઢમાં યુનાઇટેડ કિસાન મોરચાની બેઠક છે. તેઓ ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. આ બેઠક રૂબરૂ યોજાશે, જેમાં દેશભરના ખેડૂતો ભાગ લેશે. MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશને નુકસાન થશે. સરકાર આ મુદ્દે વાત કરી રહી નથી.

Subscribe

Latest stories

spot_img