HomeSurat Cityસુરતમાં બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં મોત

સુરતમાં બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં મોત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના ૧૪માં માળેથી નીચે પટકાયેલા બે શ્રમિકોના કરુણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો ૧૪માં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા. તે સમયે સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હતી. છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહત્ત્વનું છે કે બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવાનું રહેશે.

મહત્વનું છે કે, બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે. જ્યાં પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.

Subscribe

Latest stories

spot_img