HomeNationalખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી, પોલીસ એલર્ટ

ખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી, પોલીસ એલર્ટ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

અહેવાલો અનુસાર, એક વીડિયો જાહેર કરીને પન્નુએ કહ્યું ‘પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો.’ ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી છે. પંજાબમાં ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સામેની કાર્યવાહીથી પન્નુ સહિત અન્ય ગેંગસ્ટર અને ખાલિસ્તાની સમર્થકો હચમચી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.

ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬ જાન્યુઆરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ડીજીપી ગૌરવ યાદવને મારી નાખવાની ધમકી આપી છે. આ માટે તેણે ગેંગસ્ટર્સને સાથે રહેવાની અપીલ કરી છે. ખાલિસ્તાની આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને ભારત પર હમાસ જેવા હુમલાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે પંજાબથી લઈને પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદેસર કબજાવાળા લોકો પ્રતિક્રિયા આપશે અને હિંસાથી હિંસા જન્માવશે. તેમણે વધુમાં કહ્યું કે, “જો ભારત પંજાબ પર કબજો કરવાનું ચાલુ રાખશે તો તેની પ્રતિક્રિયા અપાશે. આના માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories