Sunday, Sep 14, 2025

ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબા પાટા પરથી ઉતર્યા, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત

1 Min Read

હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન પર હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબા પાટા પરથી ખડી પડ્યાં હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થઈ ગયા છે. આ ઘટના આજે સવારે લગભગ ૯:૧૫ વાગ્યે બની હતી.

સાઉથ સેન્ટ્રલ રેલવેના એસસીઆરના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ ૯ વાગે બની હતી આ રેલ્વે સ્ટેશન એક ટર્મિનલ સ્ટેશન છે. જ્યાં ટ્રેન ઊભી રહેવાની હતી, પણ તે ત્યાંનઅટકી, પણ આગળ વધી. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના રેલ્વે હોસ્પિટલમાં દાખલ કારવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દક્ષિણ મધ્ય રેલવેના CPRO રાકેશે આ મામલે જાણકારી આપી કે, પાટા પરથી ડબ્બા ખડી પડવાના કારણે ટ્રેનના દરવાજા પાસે ઊભેલા લગભગ પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ તમામ ઘાયલોની રેલવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. તે પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાઈ ગઈ જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા S૨, S૩ અને S૬ પાટા પરથી ખડી પડ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article