HomeInternationalઅમેરિકામાં ખલીસ્તાની સમર્થકોએ ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે કર્યું ગેરવર્તન

અમેરિકામાં ખલીસ્તાની સમર્થકોએ ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે કર્યું ગેરવર્તન

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂને હત્યાનો ડર સતાવી રહ્યો છે. એવામાં ગઈકાલની ઘટના બાદ અમેરિકાના એક શીખ સંગઠને દેશમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં હુમલાની ઘટનાની નિંદા કરી છે. આ સિવાય શીખ સંગઠને ગુરુદ્વારા મેનેજમેન્ટ પાસે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગઈકાલના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં શીખ્સ ઑફ અમેરિકા નામની સંસ્થાએ કહ્યું કે, ગુરુદ્વારા એક ઘાર્મિક સ્થળ છે અને અહીં આવતા લોકોએ વ્યક્તિગત રાજકીય વિચારોને દૂર રાખવા જોઈએ. ઘટના એવી છે કે ગઈકાલે ગુરુ પર્વના અવસર પર તરનજીત સિંહ સંધુએ ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડ સ્થિત હિક્સવિલે ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે ખાલિસ્તાની સમર્થકોએ દુર્વ્યવહાર કર્યો હતો.

સંધૂને ખાલિસ્તાની સમર્થકોને રાજદૂત સાથે ધક્કા-મુક્કી કરતા દેખાઈ રહ્યા હતા જેઓ ભારત દ્વારા નામિત આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને ગુરપતવંત સિંહ પન્નુ વિશે નિવેદન આપી રહ્યા હતા. રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે ધક્કા-મુક્કીનો આ વીડિયો બીજેપી નેતા આરપી સિંહે શેર કર્યો હતો.

Subscribe

Latest stories

spot_img