HomeNationalAditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ, ચંદ્ર પછી ભારતનો...

Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ, ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img
  • ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન ૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે.

ભારત ઝડપથી સ્પેસમાં પણ પોતાનો પાવર દેખાડી રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 (Aditya L1) મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-એલ 1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ 1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે.

ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ 1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે. મિશન આદિત્ય-L1 (મિશન આદિત્ય L1) ને ISRO ના ISTRAC સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે.

આદિત્ય-એલ 1ના પ્રક્ષેપણ સાથે ભારતની અવકાશ એજન્સી ISRO વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જેણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img