HomeNationalઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની-ચમકિલી દેખાય છે? મંત્રીને પડી ગઈ ખબર...

ઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની-ચમકિલી દેખાય છે? મંત્રીને પડી ગઈ ખબર…

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img
  • મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ત્યારે એવો જાણીએ સમગ્ર મામલો આ અહેવાલમાં !

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી વિવાદમાં ઘેરાયા છે. આદિજાતિ વિભાગના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ભાષણ દરમિયાન મંત્રી ગાવિત માછલી ખાવાના ફાયદા જણાવતા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે માછલી ખાવાથી અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખો અને ત્વચા આકર્ષિત અને સુંદર લાગે છે. આ વિવાદને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ધુલે જિલ્લાના અતુરલી ખાતે આદિવાસી માછીમારો માટે માછલી પકડવા માટેના સાધનોની વહેંચણી માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ડો.વિજયકુમાર ગાવિતે હાજરી આપી સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તમે ઐશ્વર્યા રાયની આંખો જોઈ છે? તેણીની આંખો તેજસ્વી અને ચમકદર છે. જેની પાછળનું કારણ એ છે કે તે રોજ માછલી ખાય છે.

મંત્રી ડો.ગાવિત આટલેથી અટક્યા ન હતા. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે માછલી ખાવાથી સ્ત્રીઓ અને પુરૂષોનો ચહેરો ચમકવા લાગે છે. જે સુંદર દેખાય છે અને તેની આંખો ચમકતી દેખાવા લાગે છે. આ ઉપરાંત માછલીના ફાયદા જણાવતા તેઓએ કહ્યું હતું કે માછલીમાં એક પ્રકારનું તેલ હોય છે. જે તેલથી આંખોમાં ચમક અને શરીરની ત્વચા નિખરે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img