HomeNationalભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી...

ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન

Date:

Related stories

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

India’s largest railway junction

  • Largest Railway Junction : શું તમે જાણો છો કે દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન ક્યાં છે? આ એક એવું રેલવે જંકશન છે. જ્યાં 24 કલાક ટ્રેનોની અવરજવર ચાલુ રહે છે. આ જંક્શનમાં દેશનો અમૂલ્ય ઈતિહાસ પણ સમાયેલો છે.

ભારતીય રેલ્વે (Indian Railways) એ વિશ્વના 5 સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. તમે તેના વિશે જેટલું જાણશો તેટલું જ તમને ગર્વ થશે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલવે જંક્શન (Railway Junction) વિશે જણાવીશું, જે ક્યારેય ખાલી નથી રહેતું. અહીં 24 કલાક ટ્રેનોની અવરજવર રહે છે. ભારતના કોઈપણ ખૂણે જવા માટે તમે આ જંકશનથી ટ્રેન પકડી શકો છો. આવો જાણીએ આ જંક્શન ક્યાં છે અને તેની વિશેષતાઓ શું છે.

દેશનું સૌથી મોટું મથુરા રેલ્વે જંકશન :

આ દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન છે. મથુરા રેલ્વે જંકશન યુપીના મથુરામાં આવેલ છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓ માટે 7 જુદા જુદા રૂટની ટ્રેનો આ જંકશન પરથી પસાર થાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે. જેના પર દરેક સમયે ટ્રેનોની અવરજવર રહે છે.

No description available.

ટ્રેનો સતત પસાર થતી રહે છે :

તમે આ જંક્શન (મથુરા રેલ્વે જંક્શન) પર દિવસ કે રાત ગમે ત્યારે આવી શકો છો. તમે અહીંથી સતત સેંકડો ટ્રેનો પસાર થતી જોશો. દેશના કોઈપણ ખૂણે જવા માટે તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંક્શન પર 1875માં પ્રથમ વખત ટ્રેન દોડાવવામાં આવી હતી. આ પછી વર્ષ 1889 માં, મથુરા-વૃંદાવન વચ્ચે 11 કિલોમીટર લાંબી મીટરગેજ લાઇન શરૂ કરવામાં આવી.

સ્વચ્છતા વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે :

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર મથુરા રેલવે જંક્શન દેશના 100 રેલવે સ્ટેશનોમાંથી એક છે જ્યાં સૌથી વધુ બુકિંગ થાય છે. આ સિદ્ધિ છતાં જંકશન પર સ્વચ્છતાનો અભાવ રેલ્વે માટે મોટી સમસ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 2018ના અહેવાલ મુજબ સર્વેક્ષણ કરાયેલા 75 મોટા સ્ટેશનોમાં આ સ્ટેશનને સૌથી ઓછું સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાં સતત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories