HomeGujaratPF Withdrawal Rules : EPFOના ​​સભ્યો માટે Good News! પૈસા ઉપાડવાનો નિયમ...

PF Withdrawal Rules : EPFOના ​​સભ્યો માટે Good News! પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, જાણો શું છે નવા નિયમો?

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

PF Withdrawal Rules 

  • EPFO New Rules : PF ખાતા ધારકો તેમના ઉચ્ચ શિક્ષણ માટે અથવા ધોરણ 10મા ધોરણ પછી તેમના બાળકોના શિક્ષણ માટે EPFમાં કર્મચારીના  કુલ યોગદાનના 50% સુધી ઉપાડી શકે છે.

પીએફ (PF) અથવા પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) એ યોગદાન-આધારિત બચત યોજના છે જ્યાં કર્મચારી અને એમ્પ્લોયર બંને નિવૃત્તિ પછીની જરૂરિયાતોને પહોંચી વળવા ફંડ બનાવવા માટે યોગદાન આપે છે. નિયમોને આધીન કર્મચારી દ્વારા ચોક્કસ પ્રોવિડન્ટ ફંડ ઉપાડ એક્સેસ (Access) અથવા ઉપાડી શકાય છે.

આ માટે ઘણા નિયમો છે. આજે અમે તમને આના માટે અલગ-અલગ નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ. જો કોઈ વ્યક્તિ પાન કાર્ડ વગર EPFOમાંથી તેના પૈસા ઉપાડવા માંગે છે. તો તેણે આવા કિસ્સામાં 30% TDS ચૂકવવો પડશે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને ઘટાડીને 20 ટકા કરી દીધો છે. આ નિયમ 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે.

બેરોજગારીના કિસ્સામાં  :

જો પીએફ ખાતાધારક નોકરી છોડ્યા પછી એક મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર હોય તો કુલ રકમના 75% સુધી ઉપાડી શકે છે. જો બેરોજગારીનો સમયગાળો બે મહિનાથી વધુ હોય તો આ જોગવાઈ ખાતાધારકને બાકીના 25 ટકા ઉપાડવાની પણ પરવાનગી આપે છે.

શિક્ષણ માટે   :

પીએફ ખાતા ધારકો તેમના ઉચ્ચ શિક્ષણ માટે અથવા ધોરણ 10મા પછી તેમના બાળકોના શિક્ષણ માટે EPFમાં કુલ કર્મચારીના યોગદાનના 50% સુધી ઉપાડી શકે છે. EPF ખાતામાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી યોગદાન આપ્યા બાદ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

તબીબી કટોકટી માટે  :

PF અથવા EPF ખાતાધારક અમુક બિમારીઓની તાત્કાલિક સારવાર માટે ચૂકવણી કરવા માટે EPF બેલેન્સ પણ ઉપાડી શકે છે. આ સુવિધા સ્વ-ઉપયોગ માટે અથવા તાત્કાલિક પરિવારના સભ્યોની સારવાર માટે ચૂકવણી કરવા માટે છે. વ્યક્તિ 6 મહિનાનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું અથવા કર્મચારીનો હિસ્સો વ્યાજ સાથે જે ઓછું હોય તે ઉપાડી શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img