Thursday, Apr 16, 2026

મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરાવતા 5 ટોલ ટેક્સ આજથી ફ્રી, ચૂંટણી પૂર્વે શિંદે સરકારનો નિર્ણય

3 Min Read

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદે અને તેમના સહયોગી જનતાને આકર્ષે તેવા નિર્ણય લેવામાં વ્યસ્ત છે. દરમિયાન, સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા તમામ ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા છે. મુંબઈમાં કુલ 5 પ્રવેશ માર્ગો છે જેના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

આ જાહેરાત બાદ નાના વાહનચાલકોએ તમામ પાંચ ટોલ બૂથ દહિસર, મુલુંડ, વાશી, એરોલી અને તિન્હંત નાકા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. મહાયુતિનો આ નિર્ણય આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ પણ કેબિનેટે તમામ જાતિ વર્ગને આકર્ષિત કરવા માટે જાતિ આધારિત કેટલાક લાભો જાહેર કર્યા હતા. આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ ટોલ ટેક્સ કુલ 5 સ્થળોએ વસૂલવામાં આવે છે. હવે અહીં સામાન્ય વપરાશકારો પર ટોલ ટેક્સ નહીં લાગે. મુલુંડ ચેક નાકા, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઐરોલી નાકા, દહિસર અને માનખુર્દ નાકા પર ટોલ વસૂલવામાં આવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઇચ્છતું હતું કે આ ટોલ ચાલુ રહે જેથી થાણે ક્રીક બ્રિજના બાંધકામનો ખર્ચ વસૂલ કરી શકાય, પરંતુ સરકારે તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પણ આ અંગે હિલચાલ કરવામાં આવી છે. MNSનું કહેવું છે કે ટોલ ખતમ થવો જોઈએ.

મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગડૂ ભુસેએ જણાવ્યું હતું કે, મુંબઈમાં એન્ટ્રી દરમિયાન દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, એરોલી અને મુલુંડ સહિત પાંચ ટોલ પ્લાઝા પર રૂ. 45 અને રૂ. 75 વસૂલવામાં આવે છે. જે 2026 સુધી લાગુ હતો. પરંતુ આ નિર્ણયથી હવે કોઈ ટોલ ભરવો પડશે નહીં. અહીંથી 3.5 લાખ વાહનોની અવરજવર થતી હોય છે. જેમાં 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ લાઈટ વ્હિકલ્સ હોય છે. સરકારે રાત્રે 12 વાગ્યા બાદ આ લાઈટ વેઈટ વ્હિકલ્સને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને લાઈનમાં ઉભા રહેવાનો સમય બચશે. સરકાર કેટલાક મહિનાથી આ ચર્ચા કરી રહી હતી. આ નિર્ણય ક્રાંતિકારી છે.

આ પણ વાંચો :-

Share This Article